ચાલતી પટ્ટી

"KEEP VISITING THIS BLOG FOR LATEST EDUCATIONAL UPDATES." આ બ્લોગમા શિક્ષણને લગતી માહિતી મળી રહે તે માટે નાનકડૉ પ્રયાસ કરવામા આવ્યો છે.આ બ્લોગ શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને એક પ્રેરણા પુરી પાડશે.

15 June 2015

જનરલ નોલેજ 200 પ્રશ્ન ક્વિઝ

જનરલ નોલેજ 200 પ્રશ્ન ક્વિઝ
●●●●●●●●●●●●●●●●●●●●●●●
1 ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? Ans: સાપુતારા

2 ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? Ans: અમદાવાદ

3 ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ

4 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા

5 સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે? Ans: ચિન્મય ઘારેખાન

6 ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે? Ans: કચ્છ

7 મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી? Ans: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪

8 કચ્છના રણપ્રદેશનો પરિવેશ કોની વાર્તાઓમાં વિશેષ જોવા મળે છે? Ans: જયંત ખત્રી

9 ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? Ans: વડોદરા

10 સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઇ છે ? Ans: હાથમતી

11 ખરાદીકામના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું નગર સુવિખ્યાત છે ? Ans: સંખેડા

12 ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? Ans: મહાદેવભાઇ દેસાઇ

13 ‘જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ - પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે? Ans: માનવીની ભવાઇ

14 ગુજરાતના કયા ક્રાંતિકારી ‘ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલય’ ના ઊચ્ચ ન્યાયાધીશ હતાં? Ans: અબ્બાસ તૈયબજી

15 શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ - ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું ? Ans: હારૂન - અરૂન

16 સુધારકયુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે? Ans: સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન

17 ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો. Ans: સુનિતા વિલિયમ્સ

18 આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? Ans: વૈદ્ય મેટ્રીકસ

19 ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? Ans: બાબુભાઇ જશભાઇ પટેલ

20 ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: નૌલખા મહેલ

21 ‘જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે? Ans: ઈશ્વર પેટલીકર

22 ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? Ans: અમદાવાદ

23 ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો. Ans: આદિલ

24 ગુજરાતી ભાષાનું પ્રથમ બાળપાક્ષિક કયું હતું? Ans: ગાંડીવ

25 ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો? Ans: અમદાવાદ - વડોદરા

26 ગુજરાત વર્નાકયુલર સોસાયટી દ્વારા દોઢ સદીથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો. Ans: બુદ્ધિપ્રકાશ

27 ગુજરાતની કઇ ત્રણ નદીઓ અંતસ્થઃ ગણાય છે? Ans: સરસ્વતી, બનાસ અને રૂપેણ

28 પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી? Ans: ઓખાહરણ

29 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક

30 રણજીતરામ વાવાભાઇ મહેતાને નામે કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? Ans: ગુજરાત સાહિત્યસભા

31 મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક

32 સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જયોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતાં? Ans: ચારૂમતી યોદ્ધા

33 પૂજય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું? Ans: હરિ ૐ

34 મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી? Ans: મહાત્મા ગાંધી

35 ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? Ans: પ્રથમ

36 લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં? Ans: લતા પટેલ

37 હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં કયારે થયો હતો? Ans: ઇ.સ. પૂર્વે ૨૪૦૦

38 વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે ? Ans: જૂનાગઢ

39 ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન-સી તરણસ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે? Ans: વીર સાવરકર

40 શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારક કયાં આવેલું છે? Ans: નારેશ્વર

41 ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જામનગર

42 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? Ans: અડી કડીની વાવ

43 ઉકાઇ બંધ કયાં આવેલો છે ? Ans: સુરત

44 ‘સંદેશ રાસક’ કૃતિના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ અબ્દુર રહેમાન

45 મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે ? Ans: ગોમતીપુર

46 ફકત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? Ans: કાનકડિયા

47 મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી? Ans: પાવાગઢ અને ચાંપાનેર

48 સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે? Ans: સાપોનું નિવાસસ્થાન

49 કવિ દયારામના જન્મસ્થળ ચાંણોદનું મૂળનામ શું હતું ? Ans: ચંડીપુર

50 એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? Ans: લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
51 ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક

52 માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો? Ans: અવંતિનાથ

53 સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કયારે અને કોણે કર્યો હતો? Ans: ૧૯૬૧, પંડિત જવાહરલાલ નહેરુ

54 દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવામાં કયા ગાંધીવાદી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો છે? Ans: જુગતરામ દવે

55 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫

56 ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયાં છે ? Ans: અંકલેશ્વર

57 હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? Ans: નવજીવન

58 પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? Ans: નર્મદા

59 સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? Ans: ૧૯૭૨થી

60 ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? Ans: નરોત્તમ મોરારજી

61 ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? Ans: સીદી

62 ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? Ans: ગરબા

63 ભકત કવિ નરસિંહ મહેતાએ ‘સુદામાચરિત્ર’ના પદો કયા સંસ્કૃત ગ્રંથને આધારે રચ્યાં છે? Ans: શ્રીમદ્ ભાગવત

64 વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? Ans: સેવાગ્રામ આશ્રમ

65 હિંદુ-મુસ્લિમ એકતાનાં પ્રતીક સમી બાબા લુલુઈની મસ્જિદ અમદાવાદમાં કયાં આવેલી છે ? Ans: જમાલપુર

66 શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? Ans: શ્રી ગુરુલીલામૃત

67 કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન

68 સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી? Ans: સુફિયાન શેખ

69 અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? Ans: અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન

70 કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ

71 ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ? Ans: કવિ ધીરો

72 ગાંધીજીનો જન્મ કયાં અને કયારે થયો હતો? Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર

73 વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? Ans: સિક્કા

74 કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવી છે ? Ans: સુરજબારી

75 શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી મગનભાઇ દેસાઇ પુરસ્કાર

76 સાબરમતી નદી કયાંથી નીકળે છે ? Ans: રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી

77 ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ? Ans: ખેડબ્રહ્મા

78 ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? Ans: ભાટચારણ

79 ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે ? Ans: સોમનાથ

80 ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ ઈતિહાસ સમયના હાથી અને એકશૃંગી જેવા પ્રાણીઓનાં અશ્મીઓ મળી આવ્યાં છે ? Ans: પીરમ બેટ

81 ‘જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? Ans: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ

82 ગાંધીજીએ ગુજરાતની કઇ લડતને ‘ધર્મયુદ્ધ’ નામ આપ્યું? Ans: અમદાવાદ મિલ સત્યાગ્રહ

83 ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ? Ans: ગુણભાખરી

84 નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? Ans: પાનવડ

85 ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે ? Ans: અમરેલી

86 પ્રેમલક્ષણા ભકિતનું ઊંચું શિખર કયા કવિએ સર કર્યું છે? Ans: નરસિંહ મહેતા

87 ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળ્યું છે ? Ans: ઝવેરચંદ મેઘાણી

88 ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? Ans: પરબ

89 રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ

90 નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? Ans: મોરારજી દેસાઇ

91 ‘શાળાપત્ર’ સામયિકના તંત્રી કોણ હતા? Ans: નવલરામ

92 ગુજરાતનો કયો જિલ્લો સાક્ષરતામાં મોખરે છે ? Ans: અમદાવાદ

93 ગુજરાતની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? Ans: સુંદરલાલ ત્રિકમલાલ દેસાઇ

94 ગુજરાત રાજયનો વિસ્તાર કેટલો છે? Ans: ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી.

95 ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? Ans: વૌઠા

96 બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

97 ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘પક્ષીજગત’ કોણે લખ્યું છે? Ans: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ

98 ‘મંગલ મંદિર ખોલો...’ - ગીતકાવ્ય કોણે લખ્યું છે ? Ans: નરસિંહરાવ દિવેટિયા

99 ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી

100 લંડનમાં ‘ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ’ અખબાર કોણે શરૂ કર્યું હતું? Ans: શ્યામજીકૃષ્ણ
વર્મા

101 પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે? Ans: અંગરશા પીર

102 ગુજરાતમાં કયો પ્રદેશ લીલી નાઘેર નામે જાણીતો છે ? Ans: ચોરવાડ-વેરાવળ

103 ગુજરાત રાજયના ઉદઘાટક કોણ હતા? Ans: રવિશંકર મહારાજ

104 ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? Ans: નવસારી

105 ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર

106 આઝાદીની લડાઇમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા? Ans: રજબ અલી

107 ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે ? Ans: જામનગર

108 ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુ પડે છે ? Ans: વેસ્ટર્ન ઝોન

109 ગુજરાતનું કયું શહેર માંચેસ્ટર તરીકે પ્રખ્યાત હતું? Ans: અમદાવાદ

110 ભારતમાં બે જુદી - જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજયે કર્યું ? Ans: ગુજરાત

111 સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારે પ્રકાશિત થયું? Ans: સંવત ૧૮૭૧

112 ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે? Ans: કચ્છ

113 ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું ? Ans: ગોવાલણી

114 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ

115 ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? Ans: બી.આર.ટી.એસ

116 વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું

117 ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? Ans: પાલિતાણા

118 ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો. Ans: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી

119 પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું? Ans: દૂધિયું તળાવ

120 ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮

121 ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ

122 ‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે? Ans: બાલાશંકર કંથારિયા

123 પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઇ નદીના કિનારે આવેલું છે ? Ans: હિરણ

124 ગુજરાતીમાં ‘અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? Ans: કનૈયાલાલ મુનશી

125 ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ? Ans: ત્રણ

126 ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલકુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે? Ans: પપીહા

127 ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે? Ans: સરદાર સરોવર નર્મદા યોજના

128 ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર કયાં આવેલું છે ? Ans: લુણેજ

129 સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રોફેશનલ્સ તૈયાર કરતી સંસ્થા કઇ છે? Ans: ઈન્સ્ટીટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ-આણંદ (IRMA)

130 સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી? Ans: સુફિયાન શેખ

131 વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે ? Ans: જૂનાગઢ

132 રવિશંકર મહારાજનું જન્મસ્થળ કયું છે? Ans: સરવસણી (જિ. ખેડા)

133 ગુજરાતમાં રાજાલાલ પક્ષીની કેટલી જાત જોવા મળે છે? Ans: ચાર

134 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો

135 ‘તારે માથે નગારા વાગે મોતના રે’ - પદના રચયિતા કોણ છે ? Ans: દેવાનંદ સ્વામી

136 "જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું". - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? Ans: મહા કવિ પ્રેમાનંદ

137 સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે? Ans: કૌથુમિય

138 ફકત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? Ans: કાનકડિયા

139 પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઇ હતી? Ans: આનંદપુર (હાલનું વડનગર)

140 ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો. Ans: દિવ, દમણ, દાદરા અને નગર હવેલી

141 ‘વર્લ્ડ હેરીટેજ’માં સ્થાન મેળવવા ગુજરાત સરકાર કઇ સાઇટને વિકસાવી રહી છે ? Ans: ધોળાવીરા

142 શ્રીરંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા

143 સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ કયા સ્થળે થાય છે ? Ans: સોમનાથ

144 અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ? Ans: ઇ.સ. ૧૪૧૧

145 ગુજરાતમાં આદિવાસી સમાજની સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં છે? Ans: ડાંગ

146 અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? Ans: જ્ઞાનમાર્ગી કાવ્યધારા

147 કયું સ્થાપત્ય ‘અમદાવાદનું રત્ન’ તરીકે ઓળખાય છે? Ans: રાણી સિપ્રીની મસ્જિદ

148 સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? Ans: કવિ બિલ્હણ

149 ગાંધીજીએ ગુજરાતની કઇ લડતને ‘ધર્મયુદ્ધ’ નામ આપ્યું? Ans: અમદાવાદ મિલ સત્યાગ્રહ

150 કોની આગેવાની હેઠળ વડોદરા શહેરમાં કલાભવનની સ્થાપના થઇ હતી? Ans: ત્રિભુવનદાસ ગજજર

151 ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે? Ans:
સુગરી

152 મધ્યકાલીન કવિ નાકર કયાંનો વતની હતો ? Ans: વડોદરા

153 ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? Ans: ડોલન શૈલી

154 અમદાવાદનો આશ્રમરોડ કયા બે આશ્રમોને જોડે છે? Ans: સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ

155 ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું? Ans: ઊંઝા

156 વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી ‘કર્ણાવતી અતીતની ઝાંખી’ કયાં આવેલી છે? Ans: સંસ્કાર કેન્દ્ર-અમદાવાદ

157 આખ્યાનના પિતા તરીકે ઓળખાતા કવિ ભાલણે કઈ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો ? Ans: સંસ્કૃત

158 ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ) વિશ્વભરના શ્રેષ્ઠ દસ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે? Ans: દહેજ સેઝ

159 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક

160 આચાર્ય આનંદશંકર ધ્રુવ કયું સામયિક ચલાવતા ? Ans: વસંત

161 ઐતિહાસીક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ ‘પ્રાગમહેલ’ અને ‘આયના મહેલ’ કચ્છના કયા શહેરમાં આવેલા છે? Ans: ભૂજ

162 ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? Ans: વિદ્યાસંગ્રહ

163 મહાત્મા ગાંધીના પરિવારની કઇ વ્યકિતએ સરદાર વલ્લભભાઇ પટેલનું જીવનચરિત્ર લખ્યું છે? Ans: રાજમોહન ગાંધી

164 ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે ? Ans: સિરવણ

165 ગુજરાતની કઇ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પૂલ આવેલો છે ? Ans: વિશ્વામિત્રી

166 કવિ રાજે મુસ્લિમ હોવા છતાં કોનો અનન્ય ભકત હતો ? Ans: શ્રીકૃષ્ણ

167 સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે કર્યુ હતું ? Ans: પંડિત જવાહરલાલ નહેરુ

168 કચ્છી ભાષા એ કઇ ભાષાની ઉપભાષા છે? Ans: સિંધી

169 પાવાગઢમાંથી નીકળતી એક મહત્ત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? Ans: વિશ્વામિત્ર

170 ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરાં...’ ગીતના રચયિતા કોણ છે ? Ans: ઉમાશંકર જોશી

171 ‘દ્વિરેફ’ ઊપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો. Ans: રામનારાયણ વિ. પાઠક

172 ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર કિનારાની જમીન તરીકે ઓળખાય છે ? Ans: કચ્છ

173 ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ દ્વિવેદી

174 ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ? Ans: વૌઠા

175 અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ

176 સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? Ans: ઘરોઈ

177 જેના કિનારે ૧૦૦૮ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તેવા અતિપ્રાચીન સહસ્ત્રલિંગ સરોવરના અવશેષો ગુજરાતના કયા શહેરમાં જોવા મળે છે? Ans: પાટણ

178 ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે ? Ans: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ

179 ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: નૌલખા મહેલ

180 ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? Ans: ધૂમકેતુ

181 ગુજરાતમાં પ્રથમ બિન-કૉંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? Ans: બાબુભાઇ જશુભાઇ પટેલ

182 ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

183 આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ? Ans: અમદાવાદ

184 દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઇ છે ? Ans: રિલાયન્સ

185 પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ? Ans: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ

186 ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ

187 ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ? Ans: મીઠા

188 ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે? Ans: ૩૬૬૬ ફૂટ

189 સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઇ પર આવેલી છે ? Ans: ૧૦૦૦ મીટર

190 ગુજરાત સલ્તનતના કયા બાદશાહને ‘મુસલમાનોના સિદ્ધરાજ’ અને ‘અકબર જેવો’ ગણવામાં આવે છે ? Ans: મહંમદ બેગડો

191 કવિ કાન્તે અમેરિકાના કયા પ્રમુખનું જીવનચરિત્ર રચ્યું છે? Ans: અબ્રાહમ લિંકન

192 ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે ? Ans: છપ્પા

193 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર

194 ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? Ans: કવિ દલપતરામ

195 કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે ? Ans: રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૧૫

196 ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર

197 ‘સોક્રેટિસ’ કયા પ્રસિદ્ધ ગુજરાતી લેખકની નવલકથા છે? Ans: મનુભાઈ પંચોળી (દર્શક)

198 ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા ? Ans: રુબિન ડેવિડ

199ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ ? Ans: દાંતીવાડા-ઇ.સ. ૧૯૭૩

200ગુજરાતી ગૃહિણીઓમાં અપારnb a લોકચાહના મેળવનાર ‘ઘરઘરની જયોત’ કૉલ



Dilipmahera